પ્રશ્ન 1 : ભારતમાં વ્યવસાયિક સમાજ કાર્યના પિતા તરીકે કોને માનવામાં આવે છે?
(A) મહાત્મા ગાંધી
(B) રાજા રામમોહન રાય
(C) ટી. એન. મદન
(D) ક્લિફોર્ડ મેન્શાર્ડ્ટ
✔️ સાચો જવાબ : (D) ક્લિફોર્ડ મેન્શાર્ડ્ટ
સમજૂતી
ભારતમાં સમાજ કાર્યને સ્વૈચ્છિક સેવા કરતાં આગળ વધારીને એક વ્યવસાયિક અને શૈક્ષણિક વિષય તરીકે સ્થાપિત કરવાનો શ્રેય ક્લિફોર્ડ મેન્શાર્ડ્ટને જાય છે. તેમણે 1936માં મુંબઈ ખાતે Sir Dorabji Tata Graduate School of Social Work (બાદમાં 1964માં તેનું નામ બદલીને Tata Institute of Social Sciences (TISS) ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સંસ્થાના માધ્યમથી સમાજ કાર્યનું વ્યવસાયિક શિક્ષણ શરૂ થયું, તેથી તેમને ભારતના વ્યવસાયિક સમાજ કાર્યના પિતા તરીકે માનવામાં આવે છે.
